Mukhyamantri Gyan Setu Merit Scholarship Yojana

ઉદ્દેશ્ય :

રાજ્યના પ્રતિભાશાળી તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણના આધારે સ્કોલરશીપ આપીને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા.

હાલ કયા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઈએ ?

ધોરણ 5

લાયકાત :

  • બાળકે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં કરેલો હોવો જોઈએ
  • બાળકે ધોરણ 5 પછી ધોરણ 6 માં પ્રવેશ લીધેલો હોવો જોઈએ
  • બાળક CET (Common Entrance Test) માં ભાગ લઈ રાજ્ય મેરીટ લીસ્ટમાં હોવું જોઈએ
  • મેરીટમાં આવેલ 30,000 બાળકોને આ યોજનાના લાભો મળશે.

કયા ધોરણમાં પ્રવેશ મળે?

ધોરણ 6

લાભાર્થીઓને મળતા લાભો :

ખાનગી શાળા

ધોરણ 6 થી 8 ₹20,000 પ્રતિ વર્ષ
ધોરણ 9 થી 10 ₹22,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 થી 12 ₹25,000 પ્રતિ વર્ષ


સરકારી / ગ્રાન્ટેડ શાળા

ધોરણ 6 થી 8 ₹5,000 પ્રતિ વર્ષ
ધોરણ 9 થી 10 ₹6,000 પ્રતિ વર્ષ
ધોરણ 11 થી 12 ₹7,000 પ્રતિ વર્ષ

અરજી કરવાની પ્રક્રિયા :

  • શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • CET પરીક્ષા પાસ કર્યા પછી મેરીટ આધારે પસંદગી કરવામાં આવે છે.
  • પસંદ થયેલા બાળકોને મળવાપાત્ર રકમ બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે.

મહત્વના મુદ્દા :

  • બાળકની CET પરીક્ષા ધોરણ 5 પછી લેવામાં આવે છે.
  • પસંદગી પામેલ બાળકોને ધોરણ 6માં પ્રવેશ વખતે યોજનાનો લાભ મળવાનો શરૂ થાય છે.
  • લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ અભ્યાસ સતત ચાલુ રાખવો જરૂરી છે.

Leave a Comment